નવસારીઃ ગણદેવીના ઓમ સાંઈ મંડળ ટ્રસ્ટ દ્વારા તેમજ ગુજરાત રાજ્ય સંગીત એકેડેમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારીના સહયોગથી સોમનાથ મંદિર બીલીમોરા ના પ્રાંગણમાં એક ભવ્ય લોકડાયરા  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે પત્રકાર સંઘના પ્રમુખ શ્રી પરેશભાઈ અર્ધવ્યુ પી.આઇ. શ્રી ગઢવીએ દીપ પ્રાગટ્ય કરી ડાયરાનો શુભારંભ કર્યો હતો મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દેવચંદભાઈ નીતિનભાઈ, પંચાયત સભ્ય વિનોદભાઈ, લાયન્સ ક્લબના પ્રમુખ પ્રીતિબેન પ્રજાપતિ, નગરપાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ કેયુરભાઈ વશી, પીન્ટુભાઇ પંડ્યા સહિત અનેક વ્યક્તિઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોકડાયરાના કલાકારો તૃષાબેન ચૌધરી, રાજુભાઈ ગરાણીયા નરોત્તમભાઈ પુનાતર સહિતે  રંગ જમાવ્યો હતો. ટ્રસ્ટના સભ્યો મહેશભાઈ, ભરતભાઈ, પ્રકાશભાઈ, રાજુભાઈ ઉપસ્થિત રહી વ્યવસ્થાઓ સંભાળી હતી. અંતમાં રાજુભાઈ ગરાણીયાએ આભાર વિધિ કરી હતી.