નવસારી: શ્રી એમ.એન.વિદ્યાલય, ખડસુપા-બોર્ડિંગ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા દ્વારા આયોજિત સક્ષમ યુવિકા ૩.૦ અંતર્ગત તાલીમી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજશ્રીબેન ટંડેલ દ્વારા ધો-8ની વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કારકિર્દી પસંદગી અને હકારાત્મક મનો વૈજ્ઞાનિક અભિગમ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ રોજગાર વિનિમય કચેરીના હેતલબેન પરમાર દ્વારા ધો-10 અને ધો-12 પૂર્ણ કર્યા બાદ હાલ કયા અભ્યાસક્રમો કાર્યરત છે તે અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.