નવસારી : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી  ભારત સરકારના “સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન આગામી બે માસ સુધી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવસારી  જિલ્લામાં સમગ્ર જિલ્લા તંત્રના સંકલન થકી વિવિધ સ્થળોએ સ્વચ્છતાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જનભાગીદારીમાં ‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન હેઠળ નવસારી જિલ્લાના  વિવધ ગામોમાં  સ્વચ્છતા અભિયાન, હેન્ડવોશ, સ્વચ્છતા શપથ અને જનજાગૃતિ અભિયાનના વિવધ કાર્યક્રમો યોજાયા હતા. .

     સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન જોર શોરથી ચાલી રહ્યું છે. ગ્રામજનો મોટી સંખ્યામાં આ અભિયાનમાં જોડાઈને પોતાનું ઘર, ફળિયું અને ગામમાં સ્વચ્છતા અંગે જાગૃત બન્યા છે. જેને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકારનો સ્વચ્છ ભારત નિર્માણનો હેતુ ચરિતાર્થ થઈ રહ્યો છે.